મોરબી: બે પુત્રી સાથે પરિણીતાનો સળગી જવાનો મામલો : પરિણીતાને મરવા મજબુર કર્યાની નોંધાઇ ફરિયાદ

- text


- text

પુત્ર જન્મ નહીં થતા સાસરિયા મેણા ટોણા મારી ત્રાસ આપતા નોંધાવી ફરિયાદ : પોલીસે આઈ.પી.સી ની કલમ 306 અને 144 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

મોરબી : મોર ભગતની વાડીમાં રહેતા સતવારા પરિવારના ઘરમાં આગની શંકાસ્પદ ઘટના સર્જાઈ હતી. જેમાં ખાટલામાં સુતેલી પરણિતા અને બે પુત્રી આગની ઝપટ માં આવી જતા સતવારા પરણિતા શિતલબેન દયારામ પરમાર (ઉ.26) અને અને તેની બે માત્ર માસુમ પુત્રીના કરુણ મોત નિપજયા હતા. આ સનસનીખેજ બનાવમાં પોલીસની પ્રથિક તપાસમાં મૃતક પરણિતા શિતલબેન દયારામ પરમારને સંતાનમાં એક દીકરી હતી અને તાજેતરમાં જ બીજી દીકરીનો જન્મ થતા સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ આપતો હોવાથી પરણિતાએ પુત્રીઓ સાથે સળગી જઈ આપઘાત કરી લીધાનું સામે આવતા મૃતક પરણિતાના ના ભાઈ અમરશીભાઇ જીણાભાઈ કંજરીયાએ પોતાની બહેન ના પતિ દયારામ નરશીભાઈ પરમાર, સસરા નરશીભાઈ રવજીભાઈ પરમાર અને સાસુ શારદાબેન નરશીભાઈ પરમાર સામે તું દીકરાને જન્મ કેમ નથી આપતી તેવા સાસરિયા મેણા ટોણા મારી ત્રાસ આપતા હોવાની અને પોતાની બહેનને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.મોરબી એ ડિવિઝન પોલીસે મૃતક પરિણીતાના સાસરિયા સામે આઈ.પી.સી ની કલમ 306 અને 144 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text