મોરબી : પાનેલી ગામમાં સતવારા પરિણીતાનો આપઘાત

- text



મોરબી : તાલુકાના પાનેલી ગામે મીનાબેન ગોરધનભાઈ ચાવડા (ઉ.35) નામની સતવારા પરિણીતાએ પોતાના ઘરે ઝેરી દવા પીને મોત વ્હાલું કરી લીધું હતું. તાલુકા પોલીસે પરિણીતાના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક પરિણીતાના પતિ ગોરધનભાઈ ચાવડા ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે. અને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે. તાલુકા પોલીસના જમાદાર મનસુખભાઈ દાફડાએ પરિણીતાના આપઘાત કરવાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

- text