- text
મોરબીથી ૩૫ કિમી. દૂર સંત કાન સ્વામીની જગ્યા ઝીંઝુડા ખાતે તા.૧૭ મે બુધવારે નવમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિવિધ કાર્યકમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધ્વજારોહણ ૧૨:૩૦ કલાકે, મહાઆરતી બપોરે 1 વાગે અને મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી સર્વ સેવક પરિવાર પધારવા માટે ઝીંઝુડા સેવા સમિતિ દ્વારા અપીલ કરી છે.
- text