મોરબીના જોધપર ગામ પાસે કાર માંથી પ્રજાપતિ આધેડની લાશ મળી

- text


બે દિવસથી કાર જોધપર પાસે પડી હતી : દવા પી આપઘાત કર્યાની શક્યતા : પોલીસે તપાસ હાથ ધરી

- text

મોરબી : મોરબીના જોધપર ગામ નજીક મચ્છું ડેમ પાસે સેન્ટ્રો કારમાંથી પ્રજાપતિ આધેડની લાશ મળી આવી હતી. પોલીસે ડેડબોડીને પીએમ માટે મોકલી તપાસ શરૂ કરી છે.
જોધપર પાસે જીજે 3 ડીએન 8475 નમ્બરની સેન્ટ્રો કારમાં મોરબીના સો-ઓરડીમાં રહેતા પ્રજાપતિ આધેડ રમેશભાઈ અમરશીભાઈ નારણીયાની લાશ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ કાર બે દિવસથી અહીં પડી હતી. જેમાં લાશ પડી હોવાની જાણ થતાં તાલુકા પીએસઆઇ ગઢવી સહિતના સ્ટાફે હાલ ડેડબોડીને પીએમ માટે ખસેડી છે. પીએસઆઇ ગઢવીના જણાવ્યા મુજબ રામેશભાઈએ ઝેરી દવા પી આપઘાત કર્યા ની શકયતા છે. તેમ છતાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ મુત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.

- text