ટંકારામાં શનિવારે કેન્સર નિદાન મહાકેમ્પનુ આયોજન

- text


કૅમ્પમાં નિદાનની સાથે કેન્સરની સમાજમાં ફેલાયેલી ખોટી અફવા સામે સાચી માહીતી પણ અપાશે

- text

ટંકારા : રોગોના મહારોગ કેન્સરને માત આપવા અને સમાજમા આ રોગને લઈને ફેલાયેલી ખોટી અફવા સામે સાચી માહીતી અને નિદાન ચેકઅપ માટે તા.13/5/17 ને શનિવારે સવાર થી સાજ સુધી મહાકેમ્પ નુ આયોજન ટંકારાની ઓમ વિધાલય ખાતે કાસુન્દા પરીવારે કર્યું છે. જેમા અમદાવાદ ની ખ્‍યાતનામ એમ.પી. શાહ હોસ્પિટલના તબીબો દ્વારા તપાસણી અને જરૂરી માહીતી પુરી પડાશે. કેમ્પ માટે ગામડા ના લોકો માટે ખાસ બસ વ્યવસ્થા પણ કરી છે.
માનવ જીંદગીને હરનાર મહારોગ કેન્સરને લઈ સમાજમા ફેલાયેલી ખોટી માન્યતા અને અજ્ઞાનતા દુર કરવા ટંકારામાં જામનગર રોડ પર આવેલા ઓમ વિધાલય ખાતે તા.13/5/17 ને શનિવારે સવારે 8 થી12 અને બપોરે 1 થી 4 મહા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કૅમ્પમાં કેન્સર ઉપર એક પ્રદર્શન પણ રાખવામાં આવશે। આ કેમ્પ નો લાભ વધુને વધુ દર્દી સાથે સમાજના જાગૃત લોકો લે માટે ગામડે ગામડે બસોની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે .સવારે સજ્જનપર રોડ. ઉમીયાનગર રોડ. નેકનામ થી રાજકોટ રોડ થી બસ તમામ ગામડા મા ઉભી રેશે બપોરબાદ લતીપર રોડ ના ગામડા મા બસો  જશે.

- text