ટંકારામાં વિશ્વકર્મા ભગવાનની કથા : જીવન સાયડી જેવુ બનાવો…જેમ ઉડે ઉતરે તેમ કચરો બહાર આવે…

- text


 

વિશ્વકર્મા ભગવાન ની કથામાં દેવી દેવતા ના પાત્રો જીવંત કરાયા
 

ટંકારા : ટંકારા સોસાયટી વિસ્તારમાં વિશ્વકર્મા પરિવાર ટંકારા દ્વારા સૃષ્ટિના સર્જનહાર વિશ્વકર્મા ભગવાન ની મહાપુરાણ કથા ચાલી રહી છે. જેમાં રાદંલ ઉત્સવની ધામ ધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પુર્વે ક્રિષ્ન જન્મોત્સવમા જુનાગઢ ના ભારતી બાપુ ખાસ પ્રધાયા હતા. રાત્રે શ્રીનાથજી ની ઝાંખી પનધટ કલાવુદ ના યુવાનો દ્વારા કરવામાં આવી હતી.

- text

ટંકારા સરદાર સોસાયટી ખાતે ચાલી રહેલી ભગવાન વિશ્વકર્મા ની મહાપુરાણ કથા ભાવિકોને ભાવ વિભોર કરી દે છે. આજના આધુનિક ઓજારો સાથે જીવન મરણ નો મેળ ગણાવી કથાકાર શાસ્ત્રી જયંતીભાઈ એ જણાવ્યું હતું કે ગજ એજ જીવન ને આગળ વધારવાનો પ્રથમ જરૂરી ઓજાર છે દરેક સમાજ જ્ઞાતીના ગજ જુદા જુદા હોય છે અને ગજ થકી જ સમાજ પોતાનુ અસ્તિત્વ ટકાવી શકે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે લાકડા ના બન્ને છેડા કામ નથી આવતા તેમ જીદગીમા જન્મ મરણ વચ્ચે કરેલ કાર્ય જ કામ લાગે. તો કામ કરે સાથે કુળ ના ભુલવા ટકોર કરી હતી. ભણી ગણીને આવડે તો જ એન્જીન્યર થઈ શકાય પંરતુ વિશ્વકર્મા ના સંતાનો જન્મ જાત એન્જીન્યર હોય છે

4 મેં ના રોજ સારું થયેલી આ કથા આગામી 10 મેં સુધી ચાલશે. કથા નો સમય બપોરે 3 થી સાંજના 7 સુધીનો છે. આ ઉપરાંત કથામા રોજ રાત્રે સંતવાણી ધુન ભજન સંગીત સાથે ના કાર્યક્રમો પણ હોય છે ગરમી થી રાહત થાય માટે વરસાદી વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. આ કથાનો લાભ હજારો ભાવિકો લઈ રહ્યા છે

- text