બોલો….ટંકારામાં દેના બેન્ક અને બેન્ક ઓફ બરોડાના એટીએમ નોટ બંધી પછી ચાલુ જ નથી થયા !!!

- text


ટંકારાના એટીએમના નોટબંધી પછી પણ અલીગઢ ના તાળા ખુલ્યા નથી. નોટ બંધી પછી પણ ટંકારા ના બેન્ક ખાતેદારો ને તલભાર પણ રાહત મળી નથી. નવા ખાતા ખોલ્વાથી લઈને અનેક સમસ્યાઓ મા વધારો થયો છે તો તાલુકાનું ધબકતું દિલ એટલે સોસાયટી ખાતે આવેલી દેના બેન્ક અને બેન્ક ઓફ બરોડા નુ એટીએમ નોટ બંધી પછી ચાલુ જ નથી. ટંકારા મા ખરીદી કે ધંધા વેપાર અર્થ રોજના 45 ગામના લોકો અહીં આવે છે જેની પાસે તેના બેન્ક નુ એટીએમ કાર્ડ તો હોય છે પરંતુ અલીગઢી તાળા ની ઝાંખી કરી બિજી બેન્ક ના એટીએમ નો સહારો લેવો પડે છે.
એક બાજુ સરકાર કેશલેસ ની વાતો કરી ડિજિટલ પેમેન્ટ તરફ ના ગોળા ફેકે છે તેની સામે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આ બાબતે દેના બેન્ક ના મેનેજર સાથે વાત કરતા જણાવ્યું કે અમારી પાસે પુરતી કરનશી નથી.અત્યારે ધિરાણ ધરવાનું કામ ચાલુ છે ત્યાર બાદ જોસુ જેવા ઉડાવ જવાબ આપ્યો હતો. તો બેન્ક ઓફ બરોડા પાસે સિક્યોરિટી ગાર્ડ અને સિસીટિવી કેમેરા નથી માટે બંધ છે અને આ બાબતે ઉપર પણ જાણ કરી છે. જવાબ આવ્યા બાદ એટીએમ શરૂ કરી દેશે. એક બાજુ પેમેન્ટ ઉપાડ ની મર્યાદા નક્કી કરી છે. અને બિજી બાજુ ગાહકો ને જરૂરી સેવા પણ આપવામાં નથી આવતી ત્યારે નોટ બંધી વખતે વિરોધ કરનારા કેમ ચુપ છે. ટંકારા ના પ્રજા સેવકોને ધારાસભ્ય ક્યા ગયા? જનતા નો અવાજ સંભળાતો નથી કે પછી ? આવા અનેક તિખા સવાલો ઉભા થયા છે. ટંકારા બેન્ક ની વહિવટી કામ થી પણ પ્રજા તોબા પોકારી ઉઠી છે. નવા ખાતા માટે તો અમેરિકાના વિઝા માટે અરજી કરવા જેવુ અધરૂ બન્યુ છે. જમા ઉધાર પણ એક જ કાઉન્ટર ઉપર થતુ હોય સવાર થી જ લાબી લાઈનો લાગી જાય છે. આગામી દિવસોમાં આ મુદ્દે ગાહક સુરક્ષા મા ફરિયાદ થશે. પરંતુ ગાહકો પણ દર માસ ની બેન્ક મિટીંગ મા પોતાની ફરિયાદ કરે તે પણ જરૂરી છે. ધણા ઓછા ગાહકો જ જાણતા હશે કે દર મહિને બેન્કમા ગાહક મિટીંગ પણ થાય છે. ત્યારે આ મુદે એટીએમની તાત્કાલિક સેવા શરૂ થાય તેવી લોક માંગ ઉઠી છે

- text