હળવદ માં ભગવાન પરશુરામની જન્મ જયંતિ ધામધુમથી ઉજવણી કરવામાં આવી

- text


 

સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મણોના આરાધ્યદેવ ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમીતે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું . શોભાયાત્રાનુ બ્રાહ્મણો દ્વારા  વેદોકત મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા પરશુરામમંદિરેથી લાક્ષમીનારાયણ ચોક.મેઈનબજાર.ધા.દરવાજે સરાચોકડી થઈ ગાયત્રિ મંદીરે પરત ફરી હતી. શોભાયાત્રામાં સાફાધારી બ્રહ્મ યુવાનો બાઇક સાથે જોડાયા હતા. શોભાયાત્રા બાદ બહામણ ની ભોજનશાળા માં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. ભગવાન પરશુરામના જન્મોત્સવમાં બહોળી  સંખ્યામાં શહેર તાલુકાના બ્રહ્મ પરીવારો એકઠા થયા હતા ઉજવણી ને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ સમાજ.પરશુરામ મદંરી યુવક મડંળ.પરશુરામ યુવા ગુપ.દ્વારાભારે જહેમત ઉઠવામાં આવી હતી..

- text