હળવદ : લગ્ન ના થવાના લીધે ટેન્શનમાં રહેતા આધેડે એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત

- text


હળવદ : સુરેન્દ્રનગરના આધેડે લગ્ન ના થતા જિંદગીથી કંટાળી હળવદમાં એસિડ પી લીધું હતું. આથી, તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગત તા. 17ના રોજ હળવદની સરા ચોકડી પાસે છનાભાઈ મોતીભાઈ વાઘેલા (ઉ.વ. 50, રહે. સર્વોદય સોસાયટી, ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર)એ એસિડ ગટગટાવી લીધું હતું. આથી, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. છનાભાઈ લગ્ન થયેલ ના હોવાથી માનસિક ટેન્શનમાં રહેતા હતા. અને તેમણે જીંદગીથી કંટાળીને મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text