શનાળા પાસે ગાય વચ્ચે આવતા બાઇકચાલક ફંગોળાયો, બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત

- text


મોરબી : મોરબી તાલુકાના શનાળા પાસે ગાય વચ્ચે આવતા બાઇકચાલક ફંગોળાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 21ના રોજ મોરબી-રાજકોટ હાઇવે પર શનાળા પાસે જયદીપભાઇ જગદીશભાઇ ભોરણીયા (ઉ.વ.૨૩, રહે. છાત્રાલય રોડ, મારૂતિનંદન એપાર્ટમેન્ટ, સરદાર સોસાયટી, મોરબી) પસાર થઇ રહ્યો હતો. ત્યારે ગાય વચ્ચે આવી જતા તે બાઈક પરથી પડી ગયો હતો. આથી, તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text