જાણો.. ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાન અંગે રાજ્ય સરકારના સહાય પેકેજનો કેવી રીતે લાભ મળશે..

- text


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ વિધાન ગૃહમાં જાહેર કર્યું રૂ. 3,700 કરોડનું સહાય પેકેજ

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે ચૌદમી વિધાનસભાના સાતમા સત્રના પ્રથમ દિવસે નિયમ-૪૪ અન્વયે નિવેદનમાં રાજ્યના ધરતીપુત્રોને આ વર્ષે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલ પાક નુકશાન સામે ઉદાર પેકેજની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની આ ખેડૂત હિતલક્ષી સરકાર હંમેશા ખેડૂતોની વિપદામાં તેમની મુશ્કેલીના સમયમાં પડખે ઉભી રહેનારી સંવેદનશીલ સરકાર છે. આ સંદર્ભમાં વિજયભાઈ રૂપાણી ઉમેર્યુ કે, ઓગસ્ટ-૨૦૨૦માં મહિનામાં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાના પરિણામે ખેતી પાકોને નુકસાન થયેલું છે.

આ નુકસાની સામે સહાય આપવા અંગે રાજ્યના ખેડૂત, ખેડૂત સંગઠનો અને પ્રજાના જનપ્રતિનિધિઓએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આ સહાય પેકેજ આપ્યું છે.

મુખ્યમંત્રીએ વિધાનસભાગૃહમાં નિયમ-૪૪ અન્વયે કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘‘રાજ્યમાં ચાલુ સાલે ચોમાસાની શરુઆત સારી રીતે અને સમયસર થયેલ હતી. શરુઆતના તબક્કામાં ખેતીને અનુકુળ માફક સરનો વરસાદ થયેલ હતો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ખુબ સારા ઉત્પાદનના સંજોગો હતા. પરંતુ ઓગષ્ટ માસ દરમિયાન રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને તેથી ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેતી પાકોને નુકશાનના અહેવાલ છે’’.

ઉપરાંત આ અંગે ખેડુતો, ખેડુત સંગઠનો, પ્રજાના પ્રતિનીધીઓ દ્વારા પણ રજુઆતો કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વિગેરે પાકોમાં નુકશાન થવા પામેલ છે. રાજ્ય સરકારે અવાનરવાર જાહેરાત કરેલી છે કે, રાજ્યના ખેડૂતોને ૩૩ ટકા અને તેથી વધારે પાક નુકશાન થયેલ હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી.

વર્ષ ૨૦૧૮-૧૯માં દુષ્કાળ જેવી પરિસ્થિતી હતી, ત્યારે રાજયના ૫૧ તાલુકાઓ દુષ્કાળગ્રસ્ત અને ૪૫ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરી ખેડુતોને થયેલ ખેતી પાકોના નુકશાનમાં મદદરૂપ થવા માટે સહાય ચુકવવા નિર્ણય લીધેલો હતો. વર્ષ ૨૦૧૯-૨૦માં પણ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકશાનમાં રાજ્યના તમામ ખેડુતોને આવરી લેતુ રૂ. ૩૭૯૫ કરોડનું ઐતિહાસિક “કૃષિ સહાય પેકેજ” જાહેર કરેલ હતું.

હવે, ચાલુ વર્ષે પણ ખરીફ ઋતુમાં કેટલાક તાલુકાઓમાં તા. ૧૯-૦૯-૨૦૨૦ની સ્થિતિએ થયેલ નુકશાન અંગે કૃષિ વિભાગ દ્વારા થયેલ સર્વેના આકલન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વિચારણાને અંતે રાજ્યના ૨૦ જિલ્લાઓના ૧૨૩ તાલુકાના અંદાજીત ૫૧ લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત ૩૭ લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. આ માટે રૂ. ૩૭૦૦ કરોડનુ સહાય પેકેજ રાજ્યના ખેડુતોને નુકસાનીમાં મદદરૂપ થવા જાહેર કર્યુ છે. જેમાં ૩૩% અને તેથી વધુ પાક નુકશાનીના કિસ્સામાં વધુમાં વધુ ૨ હેક્ટર માટે રૂ. ૧૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવશે.

- text

વધુમાં, ખેડુત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂ. ૫૦૦૦ ચુકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજીત ૨૭ લાખ જેટલા ખેડુત ખાતેદારોને ખાતા દીઠ સહાયનો લાભ મળશે. એટલું જ નહીં, રાજ્યના અન્ય તાલુકાઓમાં પાક નુકશાનીના આકલન આવશે તો રાજ્ય સરકાર તે અંગે પણ વિચારણા કરશે.

આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે તા: ૧-૧૦-૨૦૨૦ થી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડુતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. અરજી અન્વયે મંજુરી પ્રક્રિયાને અંતે સહાયની રકમ સીધી જ ખેડુતના બેંક ખાતામાં ઓનલાઇનથી જમા કરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ સહાય પેકેજ જે ૨૦ જિલ્લાઓના ૧૨૩ તાલુકાઓ માટે કર્યું છે તેની યાદી આ મુજબ છે.

૧ કચ્છ
અબડાસા , અંજાર, ભચાઉ, ભુજ ,.ગાંધીધામ,. લખપત, માંડવી,મુંદ્રા ,. નખત્રાણા ,. રાપર
૨ દેવભુમી દ્વારકા
ભાણવડ ,. દ્વારકા , કલ્યાણપુર , ખંભાળીયા
૩ ભરુચ
આમોદ, અંક્લેશ્વેર, ભરુચ, હાંસોટ , જંબુસર ,ઝગડીયા ,નેત્રંગ , વાગરા , વાલીયા
૪ પાટણ
. ચાણસ્મા , હારીજ,રાધનપુર ,સમી , સાંતલપુર,. શંખેશ્વર
૫ અમદાવાદ
બાવળા, દેત્રોજ,.ધંધુકા, ધોલેરા ધોળકા
૬ મોરબી
હળવદ માળીયા(મી.), મોરબી , ટંકારા ,. વાંકાનેર
૭ જુનાગઢ
. ભેસાણ , જુનાગઢ , કેશોદ , માળીયા (હા) માણાવદર
. માંગરોળ , મેંદરડા , વંથલી, વિસાવદર , જુનાગઢસીટી
૮ અમરેલી
. અમરેલી , બાબરા, બગસરા, ધારી,. જાફરાબાદ, .ખાંભા, લાઠી,. લીલીયા, રાજુલા, સાવરકુંડલા,. કુકાવાવ
૯ જામનગર,
. ધ્રોલ, જામજોધપુર ,.જામનગર , જોડીયા ૫. કાલાવાડ , લાલપુર
૧૦ પોરબંદર
કુતિયાણા, પોરબંદર , રાણાવાવ
૧૧ રાજકોટ,
ધોરાજી , ગોંડલ જામકંડોરણા, જસદણ ,.જેતપુર,
કોટડાસાંગાણી, લોધીકા, પડધરી ,. રાજકોટ, ઉપલેટા,વિછિયા
૧૨ ગીર સોમનાથ ગીરગઢડા,. કોડીનાર , સુત્રાપાડા , તાલાલા, ઉના ,.વેરાવળ
૧૩ મહેસાણા
બેચરાજી . કડી . મહેસાણા
૧૪ બોટાદ
. બોટાદ બરવાળા ,ગઢડા, રાણપુર
૧૫ સુરેંદ્રનગર
ચોટીલા . ચુડા દશાડા ધ્રાંગધ્રા લખતર . લીંબડી,મુળી , સાયલા થાનગઢ .વઢવાણ
૧૬ભાવનગર
ભાવનગર ઉમરાળા . વલ્લભીપુર જેસર .મહુવા .શિહોર
૧૭ સુરત.
બારડોલી મહુવા માંડવી (સુ) માંગરોળ, ઓલપાડ,ઉમરપાડા*
૧૮ નવસારી . જલાલપોર
૧૯ નર્મદા . નાંદોદ
૨૦ આણંદ . સોજીત્રા, તારાપુર

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજ અંગે ટૂંકી અને સરળ સમજૂતી

1. ૨૭ લાખ જેટલા ધરતી પુત્રોને મળશે નુકસાની સહાયનો લાભ
2. ૩૩ ટકા કે તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ ૨ હેકટર માટે હેકટરદીઠ રૂપિયા ૧૦ હજાર સહાય
3. ખેડૂત ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હશે તો પણ રૂ. ૫ હજારની સહાય ચૂકવાશે
4. ૨૦ જિલ્લાના ૧૨૩ તાલુકાના ૩૭ લાખ હેકટર વિસ્તાર સહાય પાત્ર
5. સહાય માટે તારીખ ૧ ઓક્ટોબરથી ઓનલાઇન પોર્ટલ પર અરજી કરી શકાશે
6. અરજીનો ખર્ચ સરકાર ભોગવશે
7. ખેડૂતોના ખાતામાં સીધી DBT થી સહાય જમા કરાવાશે


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text