મોરબીમાં ‘આપ’ દ્વારા ઓક્સિમિત્ર અભિયાન હેઠળ 27 કેન્દ્રો શરૂ કરાયા

- text


મોરબી : સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલ ઓક્સિમિત્ર અભિયાનમાં મોરબી શહેર આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ જોડાયા હતા. ગઈકાલે કાર્યકર્તાઓએ ઘરે-ઘરે જઈ લોકોના ઓક્સિજન લેવલ માપી કોરોના સામે રક્ષણ મેળવવાની માહિતી આપેલ હતી. આમ આદમી જિલ્લા પ્રભારી ભરત બારોટ, મોરબી શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરુ, મહામંત્રી પરેશ પારીઆની દેખરેખ હેઠળ મોરબીના અલગ અલગ વિસ્તારમાં ૨૭ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. તેમ મોરબી ‘આપ’ના મીડિયા કોરડીનેટર અને શહેર મહામંત્રી પરેશ પારીઆએ યાદીમાં જણાવ્યું છે.

- text