કલ્યાણપરમાં જાપાનની મિયાવાકી પદ્ધતિ દ્વારા વનીકરણ કરાયું

- text


ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે અધિક કલેક્ટર અને નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા વિકાસ અધિકારી, એન. એમ. તરખાલા તથા મનરેગા શાખા દ્વારા જાપાનની મિયાવાકી પદ્ધતિ દ્વારા વનીકરણ કરવામાં આવ્યું હતું. અને 1500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનેલ સામુહિક સ્વચ્છતા સંકુલની મુલાકાત લેવામાં આવી હતી. આ કાર્યક્રમમા યુવા સરપંચ દિનેશભાઈ વાધરિયા, તલાટી કમ મંત્રી કે. એ. ભટાસણા, રાજ દેત્રોજા, રજનીકાંતભાઈ દેત્રોજા, મુકેશભાઈ વાધરીયા સહિતના ગામજનો જોડાયા હતા.

- text