મોરબીના જલારામ મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિત્તે મીઠાઈ તથા ફરસાણનું રાહતદરે વિતરણ કરાશે

- text


મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ સાતમ-આઠમના પાવન પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણનુ આયોજન કરવામા આવ્યુ છે. આ વિતરણ આગામી તા. ૬-૮-૨૦૨૦ ગુરુવારથી શરૂ થશે. ફરસાણ તેમજ મીઠાઈ મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. ફરસાણ તેમજ મીઠાઈ લેવા આવનાર દરેક વ્યક્તિએ પ્રવર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને માસ્ક તથા સોશિયલ ડીસ્ટન્સીંગનુ ફરજીયાત પાલન કરવાનુ રહેશે.

- text

શુધ્ધ અમૂલ ઘીમાંથી બનેલ મોહનથાળ, થાબડી, ચોકલેટ બરફી, રાજભોગ બરફી, કેસર બરફી, જાંબુ, લીસા લાડુ, મોતીચુર લાડુ, પીળો મેસુબ, સફેદ મેસુબ, ટોપરા પાક, માંડવી પાક સહીતની મીઠાઈઓ ઉપરાંત ભાવનગરી ગાંઠીયા, પાપડી ગાંઠીયા, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સેવ, તીખી સેવ, તીખુ ચવાણુ, મોરૂ ચવાણુ, સક્કર પારા, દાબેલા ચણા, ફરાળી ચેવડો, શિંગ ભજીયા, તીખી દાળ, બટેકા વેફર મોરી, બટેકા વેફર તીખી કેળા વેફર સહીતનુ ફરસાણ રાહતદરે ઉપલબ્ધ રહેશે. તેમ મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે યાદીમાં જણાવ્યું છે.

- text