મોરબીમાં તહેવારો ઉપર શોભાયાત્રા કે ઝુલુસ ન કાઢવા તેમજ કોઈ જાહેર કાર્યક્રમ ન યોજવાની સૂચના

- text


 

ડીવાયએસપીની અધ્યક્ષતામાં વિવિધ સમાજમાં અગ્રણીઓ શાંતિ સમિતિની બેઠક મળી

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં વિવિધ સમાજના અગ્રણીઓને તહેવારોની ભાઇચારાથી અને જાહેર કાર્યક્રમો ન યોજીને ઉજવણી કરવા જણાવાયું હતું.

મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે આજે શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ડીવાયએસપી રાધિકા ભારાઈ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પીઆઇ જે.એમ.આલ, મામલતદાર રૂપાપરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ મુસ્લિમ સમાજના રસિદમીયા બાપુ,  પ્રમુખ ફારૂકભાઈ કચ્છી , અને વિહિપના પ્રમુખ કમલભાઈ દવે સહિતનાએ હાજરી આપી હતી.

- text

આ બેઠકમાં પીઆઇ જે.એમ.આલે અગ્રણીઓને ભાઇચારાથી તહેવારો ઉજવવાનું જણાવ્યું હતું. સાથે સરકારી ગાઈડલાઇન મુજબ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ હોય કોઈ પણ તહેવાર નિમિત્તે મેળાવડા ન યોજવાનું સૂચન આપ્યું હતું. જન્માષ્ટમીના તહેવારે શોભાયાત્રા તેમજ ઇદ ઉપર ઝુલુસ ન કાઢવા જણાવ્યું હતું.

- text