રામનગરના ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : હાલ ચોમાસાની ઋતુ દરમિયાન છોડને કુદરતી પાણી મળી રહેતું હોવાથી વિવિધ સંસ્થાઓ તથા લોકો દ્વારા ઠેર-ઠેર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાનાં રામનગર ગામના લોકો દ્વારા પર્યાવરણનાં જતન માટે 200 થી વધુ વૃક્ષનું રોપણ કરવામાં આવ્યુ હતુ. જેમા ગુલમહોર, કરંજ, લીમડા, જંબૂળા, પીપળો જેવા અલગ-અલગ વૃક્ષોનુ રોપણ કરવામાં આવ્યું હતું.

- text