ખીરસરા પ્રાથમિક શાળાના શિક્ષકનની વયનિવૃત્તિ થતા માનભેર વિદાય અપાઇ

- text


માળીયા (મી.) : માળિયા તાલુકાની ખીરસરા પ્રાથમિક શાળાના શિક્ષક ભગવાનજીભાઈ ઘોરવાડિયાને વયનિવૃત્તિ થતા ગત તા. 30 જૂનના રોજ માનભેર વિદાય આપવામાં આવી હતી.

- text

આ વિદાય પ્રસંગે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઇ હૂંબલ, કોષાધ્યક્ષ પ્રભાતભાઈ લાવડીયા, માળિયા તાલુકા સંઘના ઉપપ્રમુખ વિનોદભાઈ રાઠોડ, નરસંગભાઈ લાવડીયા, માળિયા બી.આર.સી નિરંજનીભાઈ, સી.આર.સી ખોડુસિંહ, કન્યા શાળાના આચાર્ય રવિભાઈ ધ્રાંગા, ગામના સરપંચ, એસ.એમ.સી.ના અધ્યક્ષ તથા શિક્ષકો હાજર રહ્યા હતા. ભગવાનજીભાઇને શાલ ઓઢાડી અને ભેટ આપી માનભેર વિદાય આપવામાં આવી હતી. શિક્ષક એ 35 વર્ષ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પોતાની સેવા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ખીરસરા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશભાઈ હૂંબલ અને યશપાલભાઈ લોખીલે જહેમત ઉઠાવી હતી.

- text