અનલોક-2 : બુધવારથી દુકાનો રાત્રીના 8 સુધી અને હોટલ-રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રહી શકશે

- text


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર આ નિર્ણયો જાહેર કર્યા

મોરબી : અનલોક -2 જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વધુ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર નિર્ણયો જાહેર કર્યા હતા કે હવે અનલોક 2 માં આવતીકાલે 1 જુલાઈ બુધવારથી દુકાનો રાત્રીના 8 સુધી અને હોટલ-રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રહી શકશે.

- text

રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ બુધવારથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ ઉપરાંત, હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું છે કે ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈ થી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીએ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ કર્યા છે.

- text