મોરબીના મૃતક યુવાનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

- text


કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે રાજકોટમાં સારવારમાં રહેલા યુવાનનું મોત થયા બાદ આજે રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી

મોરબી : મોરબીના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં કોરોનોનો રિપોર્ટ આવે તે પહેલાં જ યુવાનનું મોત નીપજ્યું હતું. દરમિયાન આ મૃતક યુવાનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી છે.

- text

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના દરબાર ગઢ, ખત્રીવાડ વિસ્તારમાં રહેતા પરેશ જોગેન્દ્રભાઈ ડેડા (ઉ.વ 22) નામના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા. અને તેનો રિપોર્ટ આવવાનો બાકી હતો. ત્યારે સોમવારની રાત્રે આ યુવાનનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દરમિયાન આજે મૃતક યુવાનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેથી, તંત્રએ રાહતનો દમ લીધો છે.

- text