વાંકાનેર તાલુકાના ખખાણા ગામે વીજળી પડતા ભેંસનું મોત

- text


વાંકાનેર : તાલુકાના ખખાણા ગામે વાડી વિસ્તારમાં વીજળી પડતા ચારો ચરી રહેલી ભેંસનું મોત થયું છે.

વાંકાનેર તાલુકાના ખખાણા ગામે વાડી વિસ્તારમાં ચારો ચરી રહેલી ભેંસ પર વીજળી ત્રાટકતા ભેંસનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રમાં વીજળી પડવાના બનાવોમાં વધારો થયો છે ત્યારે જિલ્લા કંટ્રોલરૂમ દ્વારા વીજળી પડવાના સંજોગોમાં કયાં પ્રકારના ઉપાય અજમાવવા જોઈએ તેનું માર્ગદર્શન આજે જ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે નાગરિકોએ અને પશુપાલનનો વ્યવસાય કરતા માલધારીઓ તથા ખેડૂતોએ ક્યાં પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે એ અંગે સરપંચ અને તલાટી દ્વારા ગ્રામીણોને માહિતી પુરી પાડવની સૂચના પણ જારી કરવામાં આવી છે.

- text

- text