મોરબી : આધેડે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી

- text


મોરબી : મોરબીમાં રહેતા એક આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની નોંધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે.

- text

મોરબીના ઉમીયા સર્કલ પાસે રાધા કિશન સોસાયટીમાં રહેતા કેશવજીભાઇ ધરમશીભાઇ રંગપરીયા (ઉ.વ. 50) ગઈકાલે તા. 28ના રોજ પોતાના ઘરે અજાણ્યા કારણોસર ગળે ફાંસો ખાઇ લેતા મૃત્યુ પામ્યા હતા. મૃતકના મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text