મોરબીના ખખડધજ રોડ-રસ્તાના મુદ્દે ટ્વીટર પર ફરિયાદોનો ધોધ વરસ્યો

- text


15 જૂનથી 15 સપ્ટેમ્બર સુધી રોડ-રસ્તાના કામો ન થઈ શકે એવા સરકારી પરિપત્રને અવગણી ભર ચોમાસે ડામરકામ શરૂ કરાયું 

મોરબી : મોરબી શહેર ખાડાનગરી બની ગયા બાદ શહેરવાસીઓએ તંત્રને ટ્વીટર પર ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. જો કે હવે રહી રહીને શહેરના રોડ-રસ્તાઓ પર ડામર પાથરવાનું શરૂ થયું છે ત્યારે મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અરજણભાઈ કંઝારિયાએ પાલિકા પર કેટલાક સવાલો ઉઠાવ્યા છે.

- text

રાજ્ય સરકારનો એક કાયમી પરિપત્ર છે કે દર વર્ષે 15 જૂનથી શરૂ કરીને 15 સપ્ટેમ્બર સુધી રોડ રસ્તાના કામો કરવા નહીં. કેમ કે આ સમયગાળા દરમ્યાન ચોમાસુ ચાલુ હોય છે. ભેજ વાળા વાતાવરણમાં કરેલું ડામરકામ લાબું ટકતું નથી. આમ છતાં પાછલા 3 દિવસથી મોરબીમાં ડામર પાથરવાનું કામ શરૂ થયું હોય આ રોડ-રસ્તાઓ માત્ર 31 દિવસનું આયુષ્ય ધરાવતા જ બની રહેશે. આમ પ્રજાના પરસેવાની કમાણીમાંથી ચૂકવેલા ટેક્સના નાણાં વેડફાઈ જશે એ વાત નક્કી છે. રૂપિયા 7 કરોડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાનું જણાવી અંતમાં અરજણભાઈએ ઉમેર્યું હતું કે આવનારા દિવસોમાં પ્રજા અત્યારે કરેલા કામો પર પાણી ફરી વળેલું જોઈ શકશે.

- text