મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે અકસ્માતમાં એક ઘાયલ

- text


મોરબી : મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે ચાલીને જતા વ્યક્તિને અજાણ્યા વાહનચાલકે હડફેટે લીધા હતા. જેના કારણે રાહદારીને ઇજા પહોંચી હતી.

- text

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબી શહેરના સામા કાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા ત્રાજપર ઓવરબ્રીજ પર માળીયા (મી.) તાલુકાના કાજરડા ગામના રહેવાસી ગુલાબભાઈ જુસબભાઇ ખલીફા ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા અજાણ્યા વાહનચાલકે તેને હડફેટે લીધા હતા. તેથી, તેઓને મોરબીની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text