સરકારના નિયમોનુસાર માટેલ સ્થિત ખોડીયાર માતાનું મંદિર તા. 8થી ખુલશે

- text


મોરબી : અનલૉક-1માં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો મુજબ આગામી તા. 8થી મંદિરો ખોલી શકાશે. ત્યારે માટેલમાં આવેલ ખોડીયાર માતાજીનું યાત્રાધામ પણ તા. 8થી ખુલ્લુ થવા જઇ રહ્યું છે. ત્યારે દર્શનાર્થીઓએ સરકારના આદેશ પ્રમાણે સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે. તેમજ દર્શનાર્થીઓએ માસ્ક અથવા રૂમાલ ફરજીયાત બાંધવાના રહેશે. રાઉન્ડ સર્કલ પ્રમાણે લાઇનમાં દર્શન કરી બહાર નીકળી જવાનું રહેશે. હાલ પુરતી ભોજનાલય તેમજ રાત્રિ રોકાણ બંધ રહેશે. જેઠ સુદ પુનમના દર્શન બંધ છે. (લાઈવ દર્શન થાશે.) વધુ માહિતી માટે 78789 88888 અથવા 89998 89989 પર સંપર્ક કરવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text