ગટરના ઉભરાતા ગંદા પાણીથી માધાપરની 4 શેરીના રહીશો પરેશાન

- text


મોરબી : ગંભીર મહામારીના આ કપરા કાળમાં સ્વચ્છતા અંગે તંત્ર તરફથી પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હોવાના દાવા વચ્ચે મોરબીના માધાપર શેરી નંબર 26થી 29 સુધીની ચાર શેરીઓમાં કંઈક અલગ જ ચિત્ર ઉપસી રહ્યું છે. માધાપરની આ ચાર શેરીઓમાં પાછલા ઘણા દિવસોથી ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાઈને માર્ગો પર ફરી વળ્યું છે. સ્થાનિકો ગટરના દુર્ગન્ધયુક્ત પાણીથી ત્રાહિમામ થઈ ગયા છે. ઘરના બારી-દરવાજા બંધ રાખવા છતાં અસહ્ય દુર્ગંધને કારણે સાહજિક જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. માર્ગો પરથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે વારંવાર પાલિકાને રજુઆત કરવા છતાં આ સમસ્યાનો હલ આવ્યો નથી ત્યારે તંત્ર, શું કોઈ મહામારી ફેલાવવાની રાહ જોઈ રહ્યું છે કે શું એવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.

- text