મોરબી : રબારી અગ્રણીઓ દ્વારા DDO ખટાણાનું નિવૃત્તિ વેળાએ સન્માન કરાયું

- text


મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ. એમ. ખટાણા સાહેબ વય મર્યાદાના કારણે નિવૃત થતા ગત તા. 30/5/2020 ના રોજ મોરબી ખાતે સમસ્ત મચ્છુકાઠા રબારી સમાજના ટ્રષ્ટીઓ વાલાભાઈ જીવાભાઇ રબારી, રમેશભાઇ બધાભાઇ રબારી તેમજ મનસુખભાઈ ધનજીભાઈ રબારી દ્વારા સન્માન કરવામા આવેલ હતું. આ તકે ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે સરળ અને મિલન સ્વભાવ ધરાવતા ખટાણા સાહેબ હંમેશા દરેક સમાજને માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહેલ છે. પોતાની આગવી કામગીરી અને સહુને સાથે રાખીને પોતાની નિષ્ઠાથી જવાબદારીનુ હંમેશા પાલન કર્યું છે. તેમના વિભાગના અથવા અન્ય વિભાગના કર્મચારીઓના દિલમા સાહેબે આગવુ સ્થાન ઊભુ કરેલ છે.

- text