મોરબીથી આજે રાત્રે છેલ્લી ટ્રેન ઓરિસ્સા જવા રવાના થશે

- text


 અત્યાર સુધીમાં 29 ટ્રેનોમાં 45 હજાર શ્રમિકોને સલામત રીતે તેમના વતન પહોંચાડવામાં આવ્યા

મોરબી : મોરબીમાં લોકડાઉનમાં ફસાયેલા હજારો શ્રમિકોને વતન હેમખેમ પહોંચડાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને સીરામીક એસો.ના સહયોગથી મોરબીથી બહારના રાજ્યોમાં ખાસ ટ્રેનો દોડાવવામાં આવી છે.જેમાં આજે રાત્રે છેલ્લી ટ્રેન ઓરિસ્સા રવાના થશે.મોરબીથી શ્રમિકોને લઈને આજે રાત્રે ટ્રેન ઓરિસ્સા જવા નીકળશે.

- text

મોરબીમાં બહાર રાજ્યોનો હજારો શ્રમિકો પરિવારો સાથે રોજીરોટી મેળવે છે.ત્યારે લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને તેમને વતન જવાની સરકારે છૂટ આપ્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર અને સીરામીક એસો.ના સક્રિય પ્રયાસોથી મોરબીથી બહારના રાજ્યોમાં સમયાંતરે ખાસ ટ્રેનો દોડવામાં આવી છે.જેમાં અત્યાર સુધીમાં મોરબીથી યુપી બિહાર સહિતના રાજ્યોમાં 29 ટ્રેનો દોડાવવામાં આવી હતી અને 45 હજાર શ્રમિકોને સલામત રીતે ટ્રેનોમાં તેમના વતન પહોંચડાવામાં આવ્યા હતા.શ્રમિકોને વતન પહોંચડાવવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર,પોલીસ તંત્ર,રેલવે તંત્ર , આરએસએસ, સહિતની સામાજિક અને સેવાભાવી સંસ્થાઓએ જરૂરી તમામ વ્યવસ્થાઓ કરી હતી.ત્યારે આજે રાત્રે છેલ્લી ટ્રેન ઓરિસ્સા જવા ઉપડશે.

- text