મોરબીના ડીડીઓ એસ.એમ. ખટાણાની વયનિવૃત્તિ

- text


વર્ષ 2017માં પુર વખતે કલેકટર આઈ. કે. પટેલ સાથે કરેલી કામગીરી જીવનભરનું સંભારણું બની રહેશે : એસ.એમ. ખટાણા

મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા વય નિવૃત થયા છે. તેઓએ પોતાની વિદાય વેળાએ કહ્યું કે બે વર્ષ લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. કોઈ ખરાબ અનુભવ થયો નથી. વર્ષ 2017માં પુર વખતે તે સમયના કલેકટર આઈ. કે. પટેલ સાથે જે કામગીરી કરી તે જીવનભરનું શ્રેષ્ઠ સંભારણું બનીને રહેશે.

- text

મોરબી જિલ્લા વિકાસ અધિકારી તરીકે એસ.એમ.ખટાણાએ તા.1/5/2017ના રોજ નિમણૂક થઈ હતી. તેઓએ બે વર્ષમાં સારી એવી કામગીરી કરી છે. તેઓનો સ્વભાવ ખુબ સરળ અને સૌમ્ય હતો. કોઈ પણ અરજદાર તેઓને સહેજ પણ અચકાયા વગર મળી શકતા હતા. તેઓ મૂળ કાંકરેજના વતની છે અને ગાંધીનગરમાં નિવાસ ધરાવે છે. આજે તેઓ વયનિવૃત થયા છે. તેઓનો ચાર્જ હાલ ડીઆરડીએ નિયામક જાડેજાને સોંપવામાં આવે તેવી શકયતા છે.

- text