સંભવિત વાવાઝોડાને પગલે નવલખી બંદરે એક નબરનું સિગ્નલ લગાવાયું

- text


મોરબી : હવામાન ખાતા તરફથી આગામી સમયમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અને જૂન માસમાં આ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો ઉપર ત્રાટકવાની શકયતા દર્શવવામાં આવી છે. તેથી, સંભવિત વાવાઝોડાના ખતરાને પગલે મોરબી જિલ્લાનું એકમાત્ર નવલખી બંદર એલર્ટ થઈ ગયું છે અને સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં નવલખી બંદરે એક નબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

- text