વાંકાનેરમાં માજી નગરપતિ દ્વારા રાશનકીટનું વિતરણ કરાયું

- text


વાંકાનેર : લોકડાઉનના કારણે સામાન્ય ગરીબોની આર્થિક પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ છે. ત્યારે વાંકાનેરમાં ડો. આંબેડકરનગરમાં જ્યોતિ સીટીમેકસ વાળા વજુભા ઝાલા (માજી નગરપતિ) અને તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા જરૂરિયાતમંદ લોકોને તથા ખાસ કરીને વિધવાઓને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે વાંકાનેર પ્રાંત અધિકારી વસાવા સાહેબ, મામલતદાર પાદરીયા સાહેબ હાજર રહ્યા હતા. તેમજ લોકડાઉન વિષે તથા કોરોનાથી સાવચેતી અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text