માળીયા (મી.) ની નર્મદા કેનાલમાંથી ખેડૂતોને પાણી આપવાની રજૂઆત ફળી

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નર્મદા કેનાલના છેવાડાના ગામડાઓ જેવા કે ખાખરેચી, કુંભીરીયા, વેજલપર, વેણાસર, ખીરઈ વિગેરે ગામોના ખેડૂતોને નર્મદાનું સિંચાઈનું રવિપાક માટે પાણી અપૂરતુ મળતું હતું. તે પૂરતા દબાણથી ૭૫૦ ક્યુસેક મળે તો તલીનો પાક બચાવી શકાય તેવી ખેડુતોની માંગણી અન્વયે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા એ સતત છેલ્લા ૪ દિવસથી પ્રયાસો કરતા તેમાં સફળતા મળી રહી છે. ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરતું મળે એવુ દેખાઈ રહ્યું છે. તેમ માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આર. કે. પારજીયા એ યાદીમાં જણાવેલ છે.

- text