મોરબીના માધાપરવાડી સ્મશાનગૃહને સેનેટાઇઝ કરાયું

- text


મોરબી : સમગ્ર મોરબી શહેર કોરોનારૂપી આફત સામે એકજુઠ થઈને લડી રહ્યું છે ત્યારે અંતિમ વિસામા રૂપ સ્મશાનગૃહો પણ આવી પરિસ્થિતિમાં વધુ સંવેદનશીલ ગણાય.આ પરિસ્થિતિ સમજીને સતવારા સમાજ સંચાલિત માધાપર વાડી સ્મશાનગૃહના સમ્પુર્ણ પરિસરને આજે પ્રમુખ હર્ષદભાઈ કંજારીયાનાં માર્ગદર્શન તળે સૅનેટાઇઝ કરવામાં આવ્યું હતું. જેથી ત્યાં અંતિમવિધિ માટે આવતા લોકો ઉપર ચેપનું જોખમ ન રહે.

- text