મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે રામ જન્મોત્સવની ઉજવણી

- text


બપોરે ૧૨ કલાકે પ્રભુ શ્રી રામના પ્રાગટ્ય સમયે કુવારીકાઓના હસ્તે મહાઆરતી કરાઈ : કોરોના નામના દૈત્યના સંકટમાંથી માનવજાતને ઉગારવા પ્રાર્થના કરાઈ
(જનક રાજા દ્વારા)

મોરબી : કોરોના મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે ચાર કુવારીકા બાળાઓના હસ્તે મહાઆરતી ઉતારી પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

- text

સરકારના આદેશ અનુસાર લોકડાઉનને સમર્થન આપી આજે પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે રામનવમીના પાવન અવસરે ભગવાન શ્રી રામની જન્મજયંતીની બાળાઓના હસ્તે બપોરે ૧૨ :૦૦ કલાકે મહાઆરતી ઉતારી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ કોરોના વાયરસ નામના દૈત્યના સંકટમાંથી માનવ જાતને ઉગારવા પ્રાર્થના કરી હતી. તો પ્રચામૃત અને પંજરીની પ્રસાદી સોસાયટીમાં ઘરે-ઘરે જઇ વિતરણ કરવામાં આવી હતી.

- text