વાઘપર (પીલુડી) ખાતે દર વર્ષે આયોજિત થતો સંઘાણી પરિવારોનો સ્નેહમિલન, હોમ-હવન કાર્યક્રમ રદ

- text


મોરબી : સંઘાણી પરીવારો માટે દર વર્ષે શ્રી રોકડીયા હનુમાનજી મંદિર વાઘપર (પીલુડી) ખાતે યોજાનાર સ્નેહ મિલન તેમજ હોમહવનનો કાર્યક્રમ આ વર્ષે કોરોના સંક્રમણના કારણે રદ કરવામાં આવ્યો છે.

- text

શ્રી રોકડીયા હનુમાનજી મંદિર વાઘપર (પીલુડી) સમસ્ત સંઘાણી પરીવાર જોગ દ્વારા સમસ્ત સંઘાણી પરીવારના દરેક ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને જણાવવામાં આવ્યું છે કે આગામી તારીખ ૮/૪/૨૦૨૦ને બુધવારના રોજ હનુમાન જયંતીએ યોજનાર મહાયજ્ઞ તથા સમૂહ પ્રસાદનો કાર્યક્રમ કોરોના સંક્રમણની ઉપસ્થિત થયેલી પરિસ્થિતિને લઈને મોફુક રાખેલ છે. સમસ્ત સંઘાણી પરિવારે સરકાર શ્રીના આદેશનું પાલન કરીને પોતાના ઘરે જ રહેવું. તથા શ્રી હનમાનજી દાદાનું ઘેર રહીને જ અનુષ્ઠાન કરી અને પુજા અર્ચન કરવા તથા વાઘપર (પીલુડી) દાદાના મંદિરે ન આવવા સંઘાણી પરિવાર ટ્રસ્ટ હનુમાનજી મંદિર, વાઘપર (પીલુડી) દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text