- text
મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે એક સ્થાનિક શ્રમિક સહિત દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાંથી પરત આવેલા 3 યુવકોના સેમ્પલના રિપોર્ટ જામનગર મોકલવામાં આવ્યા હતા.જ્યાંથી આ ચારેય યુવકોના કોરોનાના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ ફરીથી રાહતનો દમ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં હજુ એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.
મોરબી જિલ્લામાં ગઈકાલે એક સ્થાનિક પરપ્રાંતીય મજૂર અને દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાંથી આવેલા 3 હિન્દૂ યુવકો સહિત કુલ ચારના સેમ્પલ કોરોનાના રિપોર્ટ માટે જામનગર મોકલવામાં આવ્યા હતા. જેમના તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.
- text
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 24 લોકોના સેમ્પલ લઈ કોરોનાના રિપોર્ટ તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં તમામએ તમામ 24 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને હજુ સુધી મોરબી જિલ્લામાં એક પણ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા નથી. જે રાહતના સમાચાર છે. તેમ છતાં મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ સહિતના તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. અને લોકોને પણ લોકડાઉનનો કડક અમલ કરવા અપીલ કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/
- text