કોરોના સામેની જંગમાં મોરબીના સિમ્પોલો સીરામીક ગ્રુપ દ્વારા 50 લાખનું અનુદાન

- text


મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને કોરોના સામેની લડતમાં આર્થિક સહયોગ આપવાની હાકલ કરવામાં આવી છે. જે હાકલને ઝીલીને સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ યથાશક્તિ અનુદાનની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે મોરબીના સિમ્પોલો સીરામીક ગ્રુપ દ્વારા કુલ રૂ. 50 લાખનું ડોનેશન PM કેર્સ ફંડ અને CM રિલીફ ફંડમાં અનુદાન કરવામાં આવ્યું છે. આ સાથે સિમ્પોલો ગ્રુપના CMD જીતેન્દ્રભાઈ અધારાએ જણાવ્યું છે લોકો સરકારના આદેશોનું પાલન કરે અને ઘરે રહી સુરક્ષિત રહે તેવી સિમ્પોલો ગ્રુપ દ્વારા અપીલ કરી હતી. આમ, સિમ્પોલો કંપનીએ માતબર ધનરાશિનું દાન કરી કોરોના સામેની જંગમાં પોતાનો ફાળો નોંધાવ્યો છે.

- text