દિલ્હીમાં નિઝામુદિન ગયેલા મોરબી તાલુકાના 3 લોકો આઇસોલેશન વોર્ડમાં દાખલ : કાલે રિપોર્ટ આવશે

- text


સવારે સેમ્પલ જામનગર લેબમાં મોકલાયા બાદ સાંજે જાહેર થશે રિપોર્ટ

મોરબી : મોરબી તાલુકાના 3 લોકો દિલ્હીના નિઝામુદિન ગયા હોવાનું સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. આ ત્રણેય લોકોને હાલ આઇસોલેશન વોર્ડમાં ખસેડીને તેના સેમ્પલ લેવામાં આવ્યા છે.જે સવારે રિપોર્ટ માટે જામનગર મોકલવામાં આવશે અને આ રિપોર્ટ કાલે સાંજે જાહેર થશે.

- text

દિલ્હીના નિઝામુદિનમાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં અંદાજીત 300 લોકો કોરોનાથી સંક્રમિત થતા ત્યારે આ સ્થળે ગયેલા મોરબી તાલુકાના 3 લોકોને ફોન ટ્રેસિંગના આધારે ડિટેકટ કરવામાં આવ્યા છે અને આ તમામને મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈ આવીને આરોગ્ય વિભાગે તેઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યા છે. ઉપરાંત તેઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ આવતીકાલે સવારે જામનગર મોકલવામાં આવનાર છે. બાદમાં સાંજે તેના રિપોર્ટ આવનાર છે.

- text