કોરોના રાહત ફંડમાં મોરબીની સિરામિક કંપનીઓ દ્વારા સહાયનો આંકડો પહોચ્યો રૂ. 3.62 કરોડને પાર

- text


સીએમ ફંડમાં રૂ.1.98 કરોડ અને પીએમ ફંડમાં રૂ.1.64 કરોડની માતબર રકમની સહાય અર્પણ કરતા મોરબીના ઉદ્યોગકારો

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગકારો કોરોના સામેની લડતમાં અવિરતપણે સહાયનો ધોધ વરસાવી રહ્યા છે. અત્યાર સુધીમાં (31માર્ચ રાત્રીના 8 વાગ્યા સુધીમાં) ઉદ્યોગકારોએ રૂ. 3.62 કરોડની સરકારને સહાય કરી છે. હજુ પણ આ સહાયનો ધોધ વર્ષી જ રહ્યો છે. સરકારે શરૂ કરેલી લડતમાં મહત્વપૂર્ણ યોગદાન આપીને ઉદ્યોગકારોએ પોતાની ઉદારતા અને સંવેદનશીલતાનો પરચો આપ્યો છે.

સમગ્ર દેશમાં હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ કોરોના સામેની લડતમાં આરોગ્ય સેવાને વધુ મજબૂત બનાવવા માટે દાતાઓને સહાય આપવાની હાંકલ કરી હતી. જેને ઝીલી લઈને મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ અનુદાનની સરવાણી વહાવી દીધી છે. અગાઉ પણ દેશ ઉપર આવેલી આફતો સમયે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ પોતાની દરિયાદીલીનો સમગ્ર દેશને પરચો આપ્યો છે. ત્યારે હાલની કોરોનાની મહામારી વચ્ચે નાગરિકોની સુખાકારી માટે પણ મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહાય કરવામાં અગ્રેસર રહ્યા છે. અત્યાર સુધીમાં ઉદ્યોગકારોએ સીએમ ફંડમાં રૂ. 1,98,58,085 તેમજ પીએમ ફંડમાં 1,64,19,543 મળી કુલ રૂ.3,62,77,628ની સહાય કરી છે. હજુ પણ આ સહાયનો ધોધ અવિરતપણે વર્ષી રહ્યો છે.

- text

આ સાથે દરેક સીરામીક કંપનીઓ દ્વારા તેમના મજૂરો માટે પણ લોકડાઉન દરમિયાન રાશન આપવાની જવાબદારી ઉપાડવામાં આવી છે.

મોરબીની સીરામીક કંપનીઓ દ્વારા કોરોના રાહત ફંડમાં આપેલ દાનની રકમનું લિસ્ટ (31 માર્ચ, 8.00pm સુધીનું)..લિસ્ટ ડાઉનલોડ કરવા નિચેની લિંક પર ક્લિક કરો..

http://morbiupdate.com/wp-content/uploads/2020/03/Fund-Recivd-Data-Morbi-Ceramics2-converted-2.pd

 

- text