વતન જવા નીકળેલા મજુરોને ટંકારામાં અટકાવી પરત મોકલાયા

- text


ટંકારા : મજૂરો અને પરપ્રાંતીયોના સ્થળાંતર અટકાવવા બાબતે ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચનાઓ મુજબ ટંકારા તાલુકામાં લતીપરથી આવેલા અંદાજે 150 મજૂરોનું સ્થળાંતર તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા તથા મામલતદાર કચેરીના સ્ટાફ તથા પોલીસ સાથે મળીને અટકાવેલું છે. તેમજ લતીપરથી આવેલ મજૂરોને ભોજનની વ્યવસ્થા કરી ફરીથી લતીપર પહોંચાડી દીધેલા છે. વધુમાં, હરબટિયાળી ગામના 8 મજૂરોનું સ્થળાંતર અટકાવી ફરીથી તે મજૂર જે ખેડૂતને ત્યાં કામ કરતા હતા ત્યાં પહોંચાડી દીધેલા છે.તેમજ હડમતીયા ગામના અંદાજિત 15 મજૂરોનું સ્થળાંતર અટકાવી ફરીથી ફેક્ટરી માલિકને ત્યાં પહોંચાડી તેમના રહેવા અને ભોજનની વ્યવસ્થા કરેલ છે.

- text