માળીયા (મી.)ના શિક્ષકોનો એક દિવસનો પગાર કોરોનાને અટકાવવા માટે ઉપયોગમાં લેવા અનુરોધ

- text


માળીયા (મી.) : માળિયા તા.પ્રા.શિ.સંઘના મહામંત્રી હસમુખભાઈ વરસડા તથા પ્રમુખ દિનેશભાઈ હુંબલ દ્વારા કોરોના વાયરસ મહામારીને અટકાવવામાં મદદરુપ થવા માટે માળિયા તાલુકાના તમામ શિક્ષકોનો એક દિવસનો પગાર મુખ્યમંત્રીના રાહત ફન્ડમાં જમાં કરાવવા સહમતી આપવા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘને રજૂઆત કરવામાં આવી છે.

- text

હાલ સમગ્ર વિશ્વ સાથે સમગ્ર ભારત દેશ અને ગુજરાત રાજ્ય કોરોના મહામારીનો પુરી મકમતાથી સામનો કરી રહ્યું છે ત્યારે સરકારને આ કાર્યમાં બળ મળે એવા હેતુસર માળિયા તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષકોનો માર્ચ પેઈડ ઈન એપ્રિલના પગારમાંથી એક દિવસનો પગાર મુખ્યમંત્રીના રાહત ફન્ડમાં જમા કરાવવા માટે તમામ પ્રતિનિધિઓ તા.પ્રા.શિક્ષક સંઘ માળિયા, તમામ સી.આર.સી. બી.આર.સી.કો.ઓર્ડિનેટર, તમામ આચાર્યઓ તાલુકા શાળા તથા પેટા શાળા તેમજ તમામ શિક્ષક બહેનો અને ભાઈઓએ સહમતી આપેલ છે. ત્યારે એક દિવસનો પગાર મુખ્યમંત્રીના રાહત ફન્ડમાં જમા કરાવવા અપીલ કરવામાં આવી છે.

- text