મોરબીના કબીરધામના મહંતને ‘પરમ પુજ્ય ૧૦૦૮ મહામંડલેશ્વર’ની પદવી અર્પણ

- text


મોરબી : અમરેલી જિલ્લાના રાજુલામાં ગઈકાલે તા. 20ના રોજ યોજાયેલ રાષ્ટ્રીય સનાતન ધર્મસભા તથા મહામંડલેશ્વર પટ્ટાભિષેકમાં મોરબી સ્થિત કબીરધામના મહંત શિવરામદાસજી સાહેબને ‘પરમ પુજ્ય ૧૦૦૮ મહામંડલેશ્વર’ની પદવી અર્પણ કરવામાં આવી હતી. આ તકે અખાડા પરિષદ તથા ભારતભરના વરિષ્ઠ સંતો તેમજ મોરારી બાપુ સહીત અનેક આચાર્યો, જગતગુરુઓ, મહામંડલેશ્વરો ઉપસ્થિત રહ્યા હતા. તેમ કનૈયાલાલ જે. કાલરિયા (મોરબી નગરપાલિકા) તથા હરેશભાઈ મચ્છોયા (એન્જીનીયર) એ યાદીમાં જણાવેલ છે.

- text