શનાળાના શક્તિ મંદિરે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ આયોજિત જાહેર કાર્યક્રમ રદ

- text


મોરબી : કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઈન મુજબ ભીડનું જોખમ ટાળવા આગામી સમયના જાહેર મેળાવડા રદ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી નજીક આવેલ શનાળા ગામના શક્તિ મંદિરે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ આયોજિત જાહેર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. જેમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબી દ્વારા આગામી તા.24 માર્ચના રોજ મોરબીના શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષ પણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ કોરોના વાયરસના કારણે ભીડનું જોખમ ટાળવા જાહેર હિતની સલામતી માટે આ જાહેર કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેની જ્ઞાતિજનોએ નોંધ લેવા અપીલ કરાઈ છે.

- text