- text
ટંકારા : સજનપર ગામના સરપંચ ભાવનાબેન અશોકભાઈ બરાસરાના સાસુ અને અશોકભાઈના માતૃશ્રી જમકુબેન બચુભાઈ બરાસરાનું તા. 10/03/2020 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા 22 માર્ચ ને રવિવાર ના રોજ રાખેલ હતી. પરંતુ હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેરનો હાહાકાર છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોરોના વાઇરસની સાવચેતીના ભાગરૂપે કરેલી “લોક કર્ફયું”ની જાહેરાતને સમર્થન આપીને ઉત્તરક્રિયા મોકૂફ રાખેલ છે. જેની દરેક સગા-સંબંધીઓએ નોંધ લેવા વિનંતી કરાઈ છે.
- text