મોરબી : ધક્કાવાળી મેલડી માં મંદિરે રવિવારે દર્શન બંધ

- text


મોરબી : ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં સૂચવેલા જનતા કર્ફ્યુના અનુસંધાને તા. ૨૨/૦૩/૨૦૨૦ ને રવિવારે સવારે ૬-૩૦ થી રાત્રે ૯-૦૦ સુધી ધક્કાવાળી મેલડી માંના મંદિરે દર્શન બંધ રહેશે. જેની ભાવિકોએ નોંધ લેવા તેમજ જનતા કરફ્યુનું ચુસ્તપણે પાલન કરવા અને કોરોનાને ફેલાતો રોકવા માટે સહયોગ આપવા મોરબીવાસીઓને ધક્કાવાળી મેલડી માં મંદિરના કમિટી સભ્યોએ અપીલ કરી છે.

- text