માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં બરવાળાની સરસ્વતી ભગવતી વિદ્યાલયનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


મોરબી : રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં સરસ્વતી ભગવતી વિદ્યાલય – બરવાળા તા. મોરબીના ધોરણ – ૯ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી મોરબી ગ્રામ્ય વિસ્તારમાં જાડેજા ભુમિકાબા રાજેન્દ્રસિંહ (રેન્ક – 4) અને મુછડીયા માહીર ગૌતમભાઈ (રેન્ક – 5) સાથે પાસ કરેલ છે. જે બદલ શાળાના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઇ પટેલ અને સ્ટાફ પરિવાર એ આ તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ છે.

- text