મોરબી સીરામીક એસોસિએશનના ચારેય પ્રમુખોની આગામી 30મીએ ટર્મ પુરી થશે

- text


ચારેય પ્રમુખોએ પોતાની ટર્મ પુરી થતી હોવાની જાણ કરી : હવે પછી નવા હોદેદારોની વરણી કરાશે

મોરબી : મોરબી સીરામીક એસોસિએશનના ચાર વિભાગોના ચારેય પ્રમુખોની આગામી તા.30 માર્ચે ટર્મ પુરી થનાર છે. એથી આ ચારેય પ્રમુખોએ વિધિવત પોતાની ટર્મ પુરી થતી હોવાની સદસ્યોને જાણ કરી છે. આથી આ ટર્મ પુરી થયા બાદ ટૂંક સમયમાં મોરબી સીરામીક એસોસિએશનના ચાર વિભાગોના નવા પ્રમુખોની વરણી થશે.

મોરબી સીરામીક વિટ્રીફાઇડ એસોસિએશનના હાલના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા , મોરબી સીરામીક વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા , મોરબી સીરામીક ફ્લોર ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ ભાલોડિયા અને મોરબી સીરામીક સેનેટરી વેર્સ એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ પટેલની આગામી તા.30 માર્ચે બે વર્ષની ટર્મ પુરી થનાર છે. તેથી આ મોરબી સીરામીક એસોસિએશનના ચારેય પ્રમુખોએ વિધિવત રીતે પોતાની ટર્મ 30 મીએ પુરી થઈ રહ્યાની સદસ્યોને જાણ કરી છે. જેથી નવા હોદેદારોની વરણી વિધિવત રીતે વરણી થઈ શકે અને કોઈને પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હોય તો નોંધાવી શકે છે. આ મોરબી સીરામીક એસોસિએશનના ચારેય પ્રમુખોની 30 મીએ ટર્મ પુરી થયા બાદ ટૂંક સમયમાં નવા હોદેદારોની વરણી કરાશે.

- text

- text