વાંકાનેર ઢુવા ચોકડી પાસે સીરામીક કારખાનામાં મજૂરનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આવેલ સીરામીક કારખાનામાં મજૂરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

- text

ગઈકાલે તા. 28ના રોજ વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બોન્સ વીટ્રીફાઇડ સીરામીક કારખાનામાં તે જ કારખાનામાં મજૂરી કામ કરતા યુ.પી.થી આવેલા સચિન સુનીલભાઇ મોલીયાએ રાત્રે 8-45 વાગ્યા આસપાસ કોઇ અગમ્ય કારણોસર પોતાના કવાર્ટરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.

- text