મોરબીના નિર્મલ વિદ્યાલયનો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિના પરિણામમાં દબદબો

- text


મોરબી : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ – ગાંધીનગર દ્વારા લેવાયેલ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિની પરીક્ષાના મેરીટમાં જિલ્લમાં કુલ 13 વિદ્યાર્થીઓમાંથી નિર્મલ વિદ્યાલયના 6 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં જિલ્લામાં પ્રથમ સ્થાને પટેલ આયુષી, દ્વિતીય સ્થાને અગોલા હર્ષિલ, ત્રીજા સ્થાને એરણિયા કેવિન, ચોથા સ્થાને બાવરવા પ્રીત, છઠ્ઠા સ્થાને કાંજીયા મીરલ તથા નવમા સ્થાને કગથરા જયનો સમાવેશ થાય છે. આ તકે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text