ટંકારાના હરિપરમાં વીજપોલના વિરોધમાં સમસ્ત ગ્રામજનોની કાલે આત્મવિલોપન કરવાની ચીમકી

- text


વોકળામા નખાયેલા 3 વીજપોલ હટાવવા ગ્રામજનોનું જેટકોને આવતીકાલ સુધીનું અલ્ટીમેટમ

ટંકારા : ટંકારાના હરિપર ગામે આવેલ વોકળામાં 3 વીજપોલ નાખવા મામલે ગ્રામજનોને વિરોધ નોંધાવ્યો છે. આ મામલે જેટકોને અનેક રજુઆત કરવા છતાં કોઈ પરીણામ ન મળતા અંતે ગ્રામજનોએ આવતીકાલ સુધીનું જેટકોને અલ્ટીમેટમ આપીને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

હરિપરના ગ્રામજનોના જણાવ્યા મુજબ જેટકો દ્વારા વોકળામા 3 વીજપોલ નાખવામાં આવ્યા છે. આ વોકળામાં ગામનું પાણી ભરાય છે. ચોમાસામાં પાણી નિકાલ થવું અઘરું હોય તેમાં પણ આ મોટા વિજપોલના કારણે પાણી નિકાલનો પ્રશ્ન ઘેરો બની જશે. આ વીજપોલ નડતરરૂપ હોવાથી ગ્રામપંચાયત દ્વારા જવાબદાર અધિકારીને અનેકવાર રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં આ વીજપોલ હટાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માટે સમસ્ત ગ્રામજનો દ્વારા જેટકોને આવતીકાલે શનિવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો ત્યાં સુધીમાં આ વીજપોલ હટાવવાની કામગીરી કરવામાં નહિ આવે તો આત્મવિલોપન કરવામાં આવશે.

- text