મોરબીમાં યુવાનોએ વૃક્ષારોપણ કરીને પુલવામાં શહિદોને શ્રદ્ધાંજલી આપી

- text


મોરબી: પુલવામાં શહિદ વીરોને શ્રદ્ધાંજલી પાઠવવા હેતુસર મોરબી જિલ્લામાં વૃક્ષસંવર્ધન ક્ષેત્રમાં કાર્યરત ટીમ ગ્રીન આર્મી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને યુવાનોએ વૃક્ષારોપણ કરીને પુલવાના શહીદોને પ્રેરણાદાયી રીતે શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી.

જેમાં મોરબીના વિજયનગર રોડ, શાંતિવન સોસાયટી પાસે આવેલ સ્મશાનમાં મનુભાઇ સારેસા (કાઉન્સીલ વોર્ડ નં-૨), સુખાભાઈ મકવાણા (નિવૃત ફોરેસ્ટ કર્મચારી), ધર્મેન્દ્રભાઈ મકવાણા, હસમુખભાઈ મકવાણા, સાવનભાઈ વાધેલા દ્વારા ટીમ ગ્રીન આર્મીના સહકારથી પુલવામાં શહિદ થયેલ વીરોને યાદ કરી તેમની યાદમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન કરવા સંદેશો પાઠવ્યો હતો.

- text

- text